ગામનો ઇતિહાસ

ગામનું નામ:-સૌપ્રથમ ગામમાં દલજાડેજા અટકવાળા દરબારીલોકો આવ્યા હતા અને ગામની પાસે એક પર્વત આવેલો છે. તેને ગામ લોકો તુંગી કહે છે.એટલે દલજાડેજા અટકમાંથી દલ અને તુંગી (પર્વત) બંને શબ્દોના સમન્વયથી દલતુંગી નામ પડ્યું.

અંતર:-દલતુંગી ગામ જામનગર જીલ્લાના લાલપુર તાલુકામાં આવેલું છે.લાલપુરથી ૨૦ કિ.મીના અંતરે આવેલું છે.

વસ્તી:-ગામની કુલ વસ્તી ૮૪૦ ની છે.ગામમાં મુખ્યત્વે હિન્દુ(દરબાર,આહિર,બ્રાહ્મણ,કોળી,ભરવાડ,રબારી,વાળંદ,કુંભાર,મેઘવાર,ચમાર) મુસ્લિમ(મુસલમાન ફકીર) અને જૈન ધર્મના લોકો વસવાટ કરે છે.

વ્યવસાય:- ગામના લોકો મુખ્યત્વે ખેતી,પશુપાલન અને મજૂરી કરીને ગુજરાન ચલાવે છે.

તહેવાર:- ગામના લોકો મુખ્યત્વે જન્માષ્ટમી,નવરાત્રી,દિવાળી,હોળી,રક્ષાબંધન,ઉતરાયણ,ઈદ અનેપર્યુષણનો તહેવાર ઉજવે છે.

*ગામમાં શાળા,ગ્રામપંચાયત,પંચાયત વાટિકા,પોસ્ટ ઓફીસ,પીર દરગાહ,જૈન દેરાસર અને વિવિધ મંદિરો આવેલા છે.

જોવાલાયક સ્થળ:-દલતુંગી ગામથી ૨ કિ.મીના અંતરે તુંગેશ્વર મહાદેવનું મંદિર નાના ડુંગર પર આવેલું છે.પિકનિક મનાવવા માટેના આ સુંદર સ્થળે જન્માષ્ટમી વખતે ખુબ જ સુંદર મેળો ભરાય છે.

શાળાની માહિતી:-શાળાની સ્થાપના ૨૦/૦૭/૧૯૫૩ ના રોજ થઇ હતી,શાળામાં અત્યારે ૧ થી ૮ ધોરણ છે,તેમાં ૫ શિક્ષકો કામ કરે છે,શાળામાં ચાર રૂમ છે.

સૌભાગ્ય:-ગામમાં બધા ધર્મના(હિન્દુ,મુસ્લિમ,જૈન) લોકો હળીમળીને રહે છે, ગામમાં બધા ધર્મો વચ્ચેની એકતા એ ગામનું સૌભાગ્ય છે.


શ્રી દલતુંગી પ્રાથમિક શાળા પરિવાર આપનું
હાર્દિક સ્વાગત કરે છે

16 જૂન, 2012

શાળા પ્રવેશોત્સવ ૨૦૧૨-૧૩

નાના નાના ભૂલકાઓ  વિસ્મયતા ભરી નજરે

          અમારું બેસતું વર્ષ એટલેપ્રવેશોત્સવ

પ્રવેશોત્સવ એટલે નાના નાના ભૂલકાઓને આવકારવાનો ઉત્સવ, બધા જ ઉત્સવોની જેમ  આ ઉત્સવ પણ  આપણે એટલા જ ઉમંગથી ઉજવીએ છીએ.
         
          જેમાં આપણે પ્રાથમિક શિક્ષણ મેળવવા પાત્ર ૬થી૧૪ વર્ષની વયજૂથનાં બાળકો સામાજિક,આર્થિક,તેમજ  અન્ય કારણોસર  શાળામાં દાખલ થતા નથી અથવા અધવચ્ચેથી શાળા છોડી દે છે.
    
હલાસન કરતા શાળાના વિદ્યાર્થીઓ
           આવા તમામ બાળકોને પ્રાથમિક શિક્ષણની સુવિધા સરળતાથી ઉપલબ્ધ થાય  અને એક પણ બાળક શિક્ષણથી વંચિત ન  રહી જાય તેની તકેદારી રાખીએ છીએ.
 

દાતા(રીલાઈન્સ) દ્વારા નાના ભૂલકાઓને કિટ વિતરણ
ઉષ્ટ્રાસન કરતા શાળાના વિદ્યાર્થીઓ



શિર્ષાસન કરતી શાળાની વિદ્યાર્થીની