ગામનો ઇતિહાસ

ગામનું નામ:-સૌપ્રથમ ગામમાં દલજાડેજા અટકવાળા દરબારીલોકો આવ્યા હતા અને ગામની પાસે એક પર્વત આવેલો છે. તેને ગામ લોકો તુંગી કહે છે.એટલે દલજાડેજા અટકમાંથી દલ અને તુંગી (પર્વત) બંને શબ્દોના સમન્વયથી દલતુંગી નામ પડ્યું.

અંતર:-દલતુંગી ગામ જામનગર જીલ્લાના લાલપુર તાલુકામાં આવેલું છે.લાલપુરથી ૨૦ કિ.મીના અંતરે આવેલું છે.

વસ્તી:-ગામની કુલ વસ્તી ૮૪૦ ની છે.ગામમાં મુખ્યત્વે હિન્દુ(દરબાર,આહિર,બ્રાહ્મણ,કોળી,ભરવાડ,રબારી,વાળંદ,કુંભાર,મેઘવાર,ચમાર) મુસ્લિમ(મુસલમાન ફકીર) અને જૈન ધર્મના લોકો વસવાટ કરે છે.

વ્યવસાય:- ગામના લોકો મુખ્યત્વે ખેતી,પશુપાલન અને મજૂરી કરીને ગુજરાન ચલાવે છે.

તહેવાર:- ગામના લોકો મુખ્યત્વે જન્માષ્ટમી,નવરાત્રી,દિવાળી,હોળી,રક્ષાબંધન,ઉતરાયણ,ઈદ અનેપર્યુષણનો તહેવાર ઉજવે છે.

*ગામમાં શાળા,ગ્રામપંચાયત,પંચાયત વાટિકા,પોસ્ટ ઓફીસ,પીર દરગાહ,જૈન દેરાસર અને વિવિધ મંદિરો આવેલા છે.

જોવાલાયક સ્થળ:-દલતુંગી ગામથી ૨ કિ.મીના અંતરે તુંગેશ્વર મહાદેવનું મંદિર નાના ડુંગર પર આવેલું છે.પિકનિક મનાવવા માટેના આ સુંદર સ્થળે જન્માષ્ટમી વખતે ખુબ જ સુંદર મેળો ભરાય છે.

શાળાની માહિતી:-શાળાની સ્થાપના ૨૦/૦૭/૧૯૫૩ ના રોજ થઇ હતી,શાળામાં અત્યારે ૧ થી ૮ ધોરણ છે,તેમાં ૫ શિક્ષકો કામ કરે છે,શાળામાં ચાર રૂમ છે.

સૌભાગ્ય:-ગામમાં બધા ધર્મના(હિન્દુ,મુસ્લિમ,જૈન) લોકો હળીમળીને રહે છે, ગામમાં બધા ધર્મો વચ્ચેની એકતા એ ગામનું સૌભાગ્ય છે.


શ્રી દલતુંગી પ્રાથમિક શાળા પરિવાર આપનું
હાર્દિક સ્વાગત કરે છે

13 જુલાઈ, 2012

સુલેખન સ્પર્ધા

 આજ રોજ તા.૧૩/૦૭/૨૦૧૨ એ શ્રી દલતુંગી પ્રાથમિક શાળામાં ધોરણ ૨ થી ૮ ના વિદ્યાર્થીઓની સુલેખન સ્પર્ધા યોજવામાં આવી. જેમાં બધા જ વિદ્યાર્થીઓએ  ખુબ જ ઉમંગથી ભાગ લીધો.
 
    મહાત્મા ગાંધીએ  કહ્યું છે કે" ખરાબ અક્ષર એ અધૂરી કેણવણીની નિશાની છે".માટે બાળકોના અક્ષર વધુ સારા થાય અને તેઓ વધુ સારા અક્ષર કાઢવા પ્રેરાય તે આ સ્પર્ધાનો મુખ્ય હેતુ હતો.


સુલેખન કરતા વિદ્યાર્થીઓ
                    
                         સુલેખન સ્પર્ધા શરૂ કરતા પહેલા બાળકોને સાદી ભાષામાં સમજાવ્યું કે ગુજરાતી,હિન્દી અને સંસ્કૃત ભાષામાં લીટી ને લટકતા હોય તેમ અને અગ્રેજી ભાષામાં લીટી પર બેસી ગયા તેમ લખવું તેમજ બે   શબ્દો વચ્ચે યોગ્ય અંતર ,વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરવો ,યોગ્ય જગ્યાએ ફકરો પાડવો વગેરે માહિતી આપી.
                                                                          શ્રેષ્ઠ સુલેખનનો નમુનો

                       ધોરણ-૬ લાઠીયા મોહિત ભગવાનજી