ગામનો ઇતિહાસ

ગામનું નામ:-સૌપ્રથમ ગામમાં દલજાડેજા અટકવાળા દરબારીલોકો આવ્યા હતા અને ગામની પાસે એક પર્વત આવેલો છે. તેને ગામ લોકો તુંગી કહે છે.એટલે દલજાડેજા અટકમાંથી દલ અને તુંગી (પર્વત) બંને શબ્દોના સમન્વયથી દલતુંગી નામ પડ્યું.

અંતર:-દલતુંગી ગામ જામનગર જીલ્લાના લાલપુર તાલુકામાં આવેલું છે.લાલપુરથી ૨૦ કિ.મીના અંતરે આવેલું છે.

વસ્તી:-ગામની કુલ વસ્તી ૮૪૦ ની છે.ગામમાં મુખ્યત્વે હિન્દુ(દરબાર,આહિર,બ્રાહ્મણ,કોળી,ભરવાડ,રબારી,વાળંદ,કુંભાર,મેઘવાર,ચમાર) મુસ્લિમ(મુસલમાન ફકીર) અને જૈન ધર્મના લોકો વસવાટ કરે છે.

વ્યવસાય:- ગામના લોકો મુખ્યત્વે ખેતી,પશુપાલન અને મજૂરી કરીને ગુજરાન ચલાવે છે.

તહેવાર:- ગામના લોકો મુખ્યત્વે જન્માષ્ટમી,નવરાત્રી,દિવાળી,હોળી,રક્ષાબંધન,ઉતરાયણ,ઈદ અનેપર્યુષણનો તહેવાર ઉજવે છે.

*ગામમાં શાળા,ગ્રામપંચાયત,પંચાયત વાટિકા,પોસ્ટ ઓફીસ,પીર દરગાહ,જૈન દેરાસર અને વિવિધ મંદિરો આવેલા છે.

જોવાલાયક સ્થળ:-દલતુંગી ગામથી ૨ કિ.મીના અંતરે તુંગેશ્વર મહાદેવનું મંદિર નાના ડુંગર પર આવેલું છે.પિકનિક મનાવવા માટેના આ સુંદર સ્થળે જન્માષ્ટમી વખતે ખુબ જ સુંદર મેળો ભરાય છે.

શાળાની માહિતી:-શાળાની સ્થાપના ૨૦/૦૭/૧૯૫૩ ના રોજ થઇ હતી,શાળામાં અત્યારે ૧ થી ૮ ધોરણ છે,તેમાં ૫ શિક્ષકો કામ કરે છે,શાળામાં ચાર રૂમ છે.

સૌભાગ્ય:-ગામમાં બધા ધર્મના(હિન્દુ,મુસ્લિમ,જૈન) લોકો હળીમળીને રહે છે, ગામમાં બધા ધર્મો વચ્ચેની એકતા એ ગામનું સૌભાગ્ય છે.


શ્રી દલતુંગી પ્રાથમિક શાળા પરિવાર આપનું
હાર્દિક સ્વાગત કરે છે

1 ઑગસ્ટ, 2012

અમારી રક્ષાબંધન

અમે આજે એક દિવસ પહેલા શાળામાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી ખુબ આનંદ અને ઉત્સાહથી કરી.બાળકોએ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

 રક્ષાબંધન  ભાઈબહેનના પ્રેમનો તહેવાર છે.

રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે.'રક્ષાબંધન' ને 'વીરપસલી' પણ કહે છે.


શાળામાં રક્ષાબંધનની ઉજવણીથી બાળકોમાં પરસ્પર ભાઈચારો વધે છે.એકબીજા પ્રત્યે પ્રેમ અને લાગણીના તાંતણે જોડાય છે.રક્ષાબંધનએ સામાજિક તહેવાર છે.અમારી શાળામાં હિન્દુ,મુસ્લિમ,જૈન ધર્મના બાળકો આવે છે.માટે આવા તહેવારોની શાળામાં ઉજવણી કરવાથી નાનપણથી જ બાળકોના મનમાં બધા ધર્મ પ્રત્યે માન અને એકબીજા પ્રત્યે ભાઈચારાની ભાવના વધે છે.
               રક્ષાબંધન સૌને આનંદ આપતો ધાર્મિક તહેવાર છે.    

બહેનો ભાઈઓને રાખડી બાંધતા







ટિપ્પણીઓ નથી: